Kala Ghoda Nal
-
Estimated Delivery:Oct 18 - Oct 22

Kala Ghoda Nal
સામાન્ય રીતે વ્યક્તિના જીવનમાં ઓછામાં ઓછું બે વખત અથવા વધારેમાં વધારે ત્રણથી ચાર વખત શનિની સાડાસાતી તેમજ કોઈ સંજોગોમાં શનિની પીડાનો પ્રભાવ ચાલે છે. આવી પ્રકિયા એક પરિવારમાં કોઈ એક સભ્યને ચાલુ જ રહે છે. આથી શનિની પનોતીના ઉપાયો જરૂર કરતા રહેવું જોઈએ. કાળા ઘોડાની નાળ તેમજ નાળમાંથી બનેલ છલ્લો પહેરી રાખવાથી શનિ સંબંધી દોષોમાં ઘણો સારો લાભ મળે છે, ઘણી રાહત મળે છે.
જે વ્યક્તિને શનિની મહાદશા, સાડાસાતી ચાલતી હોય તેમણે કાળા ઘોડાની નાળની વીંટી અથવા કરડો પહેરી રાખવો જોઈએ. આથી વ્યક્તિનું ટેન્શન ઓછું થવા લાગશે, કાર્યક્ષમતામાં પણ સારું એવું પરિવર્તન આવે છે. વૈજ્ઞાનિક રીતે તેનો અનુભવ કરી શકાય છે. શરીરના સ્વાસ્થ્ય માટે પણ આનો ઉપયોગ કરી શકાય છે. કાળા ઘોડાની નાળનો છલ્લો પહેરવાની સલાહ શાસ્ત્રોમાં આપવામાં આવી છે.
કાલા ઘોડાની નાળને ઘરના મુખ્ય દરવાજા તેમજ બહારના દરવાજાઓ ઉપર લગાડવાથી ઘરની અંદરનું વાતાવરણ ખુબ સારું રહે છે. ઘરની અંદરની નકારાત્મક શક્તિઓ ઓછી થવા લાગે છે. ઘરના સભ્યોની દૂર થાય છે - આમ કરવાથી કુટુંબમાં સામુહિક ઉન્નતિ થાય છે અને તેમનો સર્વગ્રાહી વિકાસ થાય છે. ખાસ તો કાળા ઘોડાની નાળ તેમજ તેની ધાતુનો વેઢ - અંગૂઠી લાભદાયક હોય છે. ઓછામાં ઓછા ઘોડા-ઘોડાની પગના ડાબલામાં નખમાં છ મહિના સુધી નાળ જોડાયેલી હોય, ત્યાર પછી કુદરતી રીતે તેને કાઢી તેનો ઉપયોગ કરવામાં આવેલ હોય તો ખુબ જ સારા પ્રમાણમાં ફાયદાકારક રહે છે.
કાળા ઘોડાની નાળને તિલક (U) આકારમાં ઘરના મુખ્ય દરવાજાની ઉપર તેમજ બહારના દરવાજા ઉપર લગાડવાની સલાહ આપવામાં આવે છે. કોઈની નજર લાગવાના અને તેની નકારાત્મક અસર દૂર કરવામાં આનો વિશેષ ઉપયોગ થાય છે. કાળા ઘોડાની નાળના વેઢને મોટી આંગળીમાં પહેરવાની સલાહ આપવામાં આવે છે.